THE INDIAN SOCIOLOGIST

JAIN : નાના ભાડિયા આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે આયંબિલ તપની ઓળી નો પારણોત્સવ ઉજવાયો.

JAIN : માંડવી તાલુકાના નાના ભાડિયા આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પંચગીની માં આજે રવિવારે આયંબિલ તપની ઓળી નો પારણોત્સવ ઉજવાયો.



ઓળી કરાવવાનો સંપૂર્ણ લાભ ધનવંતીબેન વલ્લભજી ગોગરી પરિવાર એ લીધો.

JAIN : કચ્છ-આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજ્ય ધીરજ લાલજી સ્વામીના સુશિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ "આનંદ"મ.સા. (ભોજાય વાલા) અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિ "મંગલ" મ.સા.( બેરાજા વાલા) ની પાવન નિશ્રામાં મહારાષ્ટ્રના પંચગીની માં ચૈત્ર માસની શાશ્વતી નવ દિવસની આયંબિલ તપની ઓળી તા. 12/ 4 ને શનિવારે સંપન્ન થતાં આજે તા.13 /4 ને રવિવારે પારણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો.

JAIN : આયંબિલ તપ ની નવ દિવસની ઓળી કરાવવાનો સંપૂર્ણ લાભ નાના ભાડિયા (તા. માંડવી- કચ્છ) ના ધર્મનુંરાગી સખીદિલ દાતા માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી પરિવારે લીધેલ હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડૉ.દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

JAIN : પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નરેશ મુનિ અને ઓજસ મુનિ મ.સા. ઠાણા-2 તથા પરમ પૂજ્ય નયનાબાઈ મહાસતીજી ઠાણા-3 ની નિશ્રામાં આયંબિલ તપની ઓળી કરનાર આરાધકો ને, માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજીભાઈ ગોગરી પરિવાર( નાના ભાડીયા), શ્રીમતી રમીલાબેન પ્રેમજીભાઈ દેઢિયા પરિવાર (નીલમ સ્ટીલ,ભોજાય), શ્રીમતી નલીનીબેન યશવંતભાઈ ગોગરી પરિવાર( નાના ભાડિયા) તથા શ્રીમતી પ્રફુલ્લાબેન રમણીકભાઈ ગાલા પરિવાર( નાના ભાડિયા) તરફથી તમામ તપસ્વીઓનું બહુમાન કરીને અનુમોદના કરવામાં આવી હોવાનું દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST