THE INDIAN SOCIOLOGIST

RAILWAY IN MANDVI : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.

RAILWAY IN MANDVI : માંડવી ને રેલ્વે જોડાણ મળે તે માટે જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત "માંડવી સર્વાંગી વિકાસ પરિષદ" ની કારોબારીની બેઠક તાજેતરમાં સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને મળી હતી.

RAILWAY IN MANDVI : પ્રારંભમાં સંસ્થાના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સૌને આવકારી, માંડવીને રેલ્વે જોડાણ માટે સંસ્થાએ અત્યાર સુધી કરેલ કાર્યવાહીની વિગતે માહિતી આપી હતી.

આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને લિનેશભાઈ શાહ, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી ભરતભાઈ કપ્ટા અને કારોબારી સભ્ય ચંદ્રસેનભાઈ કોટકે ઉપસ્થિત રહીને, ચર્ચા વિચારણામાં ભાગ લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

RAILWAY IN MANDVI : સંસ્થાના પ્રમુખ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી એ જણાવ્યું હતું કે,માંડવીને રેલ્વેનું જોડાણ મળે તે માટે સમગ્ર કચ્છ જિલ્લાનું જન સમર્થન મેળવવું જોઈએ. પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઈન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ દીપકભાઈ પંડ્યા, પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ લિનેશભાઈ શાહ, પરિષદના ખજાનચી અને માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપ્ટા તથા પરિષદના કારોબારી સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટકે સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના સૂચનને આવકાર આપતા, માંડવી સર્વાંગી વિકાસ પરિષદે, માંડવીને રેલ્વે નું જોડાણ મળે તે માટે સમગ્ર કચ્છ જિલ્લાનું જન સમર્થન મેળવવા સર્વાનુમતે નિર્ણય લીધો હોવાનું પરિષદના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

માંડવીને રેલ્વે જોડાણ મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત માટેના આવેદનપત્રમાં સમર્થન મેળવવા માટે માંડવી શહેરના એસોસિએશનો,ઇન્ડસ્ટ્રીઝો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, વહાણ ઉદ્યોગના પ્રતિનિધિઓ વગેરેનો સંપર્ક કરવાનું પરિષદે શરૂ કરેલ છે.પરિષદના આ વિકાસ લક્ષી કાર્યમાં ખૂબ જ સાથ- સહકાર મળી રહ્યો છે.

RAILWAY IN MANDVI : માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દીપકભાઈ પંડ્યા, પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ તેમજ પરિષદના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે, તાજેતરમાં જન સમર્થન માટે ભુજની મુલાકાત લીધી હતી. આ આગેવાનોએ ભુજ શહેરમાં પણ જન સમર્થન માટે અપીલ કરતાં, ભુજ શહેરની સંસ્થાઓ, એસોસિએશનો, હોસ્પિટલો, ઈન્ડસ્ટ્રીઝો, ઉદ્યોગપતિઓ ડોક્ટરો અને પ્રતિષ્ઠિત નાગરિકોનો સંપર્ક સાંધતા દરેક જગ્યાએથી ખૂબ જ સારો પ્રતિસાદ આપી પરિષદના આ કાર્યમાં લેખિતમાં સંપૂર્ણ સમર્થન જાહેર કરેલ છે.

પરિષદના કારોબારી સભ્યો સર્વશ્રી દેવેન્દ્રભાઈ વ્યાસ, રસિકભાઈ દોશી અને નરેન્દ્ર ભાઈ શુરૂ પણ આ કાર્યવાહીમાં ખૂબ જ સહકાર આપી રહ્યા છે.

માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારો હવે ગાંધીધામ, નખત્રાણા, અબડાસા, લખપત વગેરેનો જન સમર્થન મેળવવા રૂબરૂ મળીને, જન સમર્થન મેળવવા પ્રયાસ કરશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST