JAINPURI MANDVI : ચૈત્રમાસની શાશ્ર્વતી આયંબિલ તપની ૯ દિવસની ઓળી સંપન્ન થતાં, જૈનપુરીમાં પારણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો
JAINPURI MANDVI : ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ તપની ૯ દિવસની ઓળી તા. ૧૨-૪ ને શનિવારે સંપન્ન થતાં, જૈન સંતોની નિશ્રા અને માંડવીના ધારાસભ્યની ઉપસ્થિતિમાં, તા. ૧૩-૪ ને રવિવારના સવારના ૭.૩૦ કલાકે, માંડવીની જૈન પુરીમાં પારણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો.
JAINPURI MANDVI : રાષ્ટ્રીય સંતશ્રી સંજયમુનિ મ.સા. અને પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી ભાવચંદ્રજી સ્વામિ આદિ શ્રમણ-શ્રમણી વૃંદ, અચલગચ્છ જૈન સંઘના પ.પૂ. દિવ્યકિરણાશ્રીજી મ.સા., આદિ ઠાણા–૨ તથા આઠ કોટી મોટી પક્ષ સ્થાનક વાસી જૈન સંઘના પ.પૂ. અર્ચનાબાઈ મહાસતી ઠાણા-૪ની પાવન નિશ્રા તથા માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં, રવિવારે સવારના ૭.૩૦ કલાકે, માંડવીની જૈનપુરીમાં, પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોની વિશાળ સંખ્યામાં, આયંબિલ તપની ઓળીનો પારણોત્સવ રંગેચંગે ઉજવાયો હતો.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, આયંબિલ તપની ઓળી કરાવવાનો સંપૂર્ણ લાભ માતુશ્રી રશ્મિબેન હરીશભાઈ શાહ (હસ્તે :-ડો. કિંજલબેન કૌશિકભાઈ શાહ), હીનાબેન જિનેશભાઈ શાહ અને હિરલબેન પ્રતિકભાઈ શાહે લીધો હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે છ કોટી જૈન સંઘના પ.પૂ. ડો. ચિંતનમુનિ મહારાજ સાહેબે ચતુર્વિધ સંઘને સંબોધતાં જણાવ્યું હતું કે, માંડવીના સેવાભાવી સર્જન ડો. કૌશિકભાઈ શાહે, આયંબિલતપની ૯ દિવસની ઓળી કરાવીને પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી છે. હમસબ એક હૈ—હમ સબ નેક હૈ એમ કહીને પૂજયશ્રીએ માંડવીના પાંચગચ્છની એકતાને બિરદાવી હતી. પૂજયશ્રીએ દાતા પરિવારની દિલેરીની સરાહના કરી, અંતરની આશિર્વાદ પાઠવી, વધુ ને વધુ સુકૃત કાર્યો કરવા આહવાન આપેલ હતું.
રાષ્ટ્રીય સંત પ.પૂ. સંજયમુનિ મ.સા. અને માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ દવેએ પણ દાતા પરિવારની દિલેરીને બિરદાવી, માંડવીના જૈન સમાજની એકતાની સરાહના કરી હતી.
JAINPURI MANDVI : માંડવીમાં ૯ દિવસમાં શ્રાવક-શ્રાવિકા તથા સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અને મહાસતીજીઓ કુલ ૨૦૩૩ આયંબિલ તપ અને ૨૦૬ આયંબિલની ઓળી કરેલ હોવાનું માંડવી બેનાતના પ્રમુખ મેહુલભાઈ શાહે જણાવ્યું હતું. જૈનેતર લોકોએ પણ આયંબિલતપની ઓળી કરી હતી. આયંબિલ તપની ઓળી કરાવનાર દાતા પરિવારે, માંડવી બેનાતના પ્રમુખ મેહુલભાઈ શાહ, આયંબિલની તમામ વ્યવસ્થા સંભાળનાર માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તેમજ ૯ દિવસ સુધી સુંદર ભોજન બનાવનાર રસોયા રમેશ મારાજનું અભિવાદન કરેલ હતું.
JAINPURI MANDVI : આયંબિલતપ કરનારા આરાધકોએ આયંબિલની ઓળી કરાવનાર દાતા પરિવારના, ડો. કૌશિકભાઈ શાહ અને ડો. કિંજલબેન શાહ તથા આયંબિલની કાયમી ધોરણે વ્યવસ્થા સંભાળનાર ચંદ્રેશભાઈ શાહ અને રસોયા રમેશ મારાજનું અભિવાદન કરેલ હતું. આ પ્રસંગે, માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છ માટે નવકારશીનો લાભ, આયંબિલ તપની ઓળ ીના દાતા ડો. કૌશિકભાઈ શાહ અને ડો. કિંજલબેન શાહે લીધો હતો.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, ૯ દિવસ સુધી આયંબિલની સુંદર વ્યવસ્થા ચંદ્રેશભાઈ શાહ અને તેમની ટીમે સંભાળી હતી.
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.