THE INDIAN SOCIOLOGIST

OMAN : ઓમાન ના દિલેર દાતા તરફથી માંડવી તાલુકા ના બે દિવ્યાંગો ને "વ્હીલ ચેર" અર્પણ કરી

 OMAN : ઓમાન ના દિલેર દાતા તરફથી માંડવી તાલુકા ના બે દિવ્યાંગો ને "વ્હીલ ચેર" અર્પણ કરી


OMAN : મસ્કત- ઓમાન ના દિલેર દાતા તરફથી માંડવી તાલુકા ના બે દિવ્યાંગો ને "વ્હીલ ચેર"અર્પણ કરી માનવ સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરૂં પાડેલ છે.

OMAN : મસ્કત- ઓમાન ના દિલેર દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે:- શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) ના આર્થિક સહયોગથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા, માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી તથા માંડવી લોહાણા બોર્ડિંગ ના ઉપક્રમે, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવીના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણી સાહેબ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, રમત -ગમત ના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક, લોહાણા બોર્ડિંગના પ્રમુખ તથા માંડવીના પૂર્વ નગરપતિ હરિશભાઈ ગણાત્રા, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના કાર્યકર અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડા, સેવાભાવી નિલેશભાઈ ઝાલા તથા બી.એસ.એફ.ના સુલેમાન ભાઈ (કોજાચોરા)ના હસ્તે માંડવીના સલાયા તેમજ દરશડી ગામના દિવ્યાંગો ને વ્હીલચેર અર્પણ કરાઈ હતી.

OMAN : મસ્તક ગુજરાતી સમાજના સ્થાપક ડૉ.ચંદ્રકાંતભાઈ ચોથાણી ,કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, તથા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી.શાહે મસ્કત - ઓમાન ના દિલેરી દાતા ટોપરાણી પરિવાર ની દિવ્યાંગો પ્રત્યેની લાગણી ની સરાહના કરી હતી.
મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબ અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા એ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ મણીલાલ શાહે કરેલ હતું. જ્યારે નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ હતું.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST