MANDVI : માંડવીમાં સતત તેરમાં વર્ષે દાતાના સહયોગથી સ્વ ચેતન મહેતાની સ્મૃતિમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું.
જૈન સેવા સંસ્થા નવચેતનના ઉપક્રમે માંડવીમાં સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં દાતાના સહયોગથી સતત તેરમા વર્ષે નિઃશુલ્ક છાસકેન્દ્રનું લોકાર્પણ કરાવતા પ. પૂ વિવેક મુની મ.સા.,દાતા પરિવારના શ્રી શશીકાંતભાઈ મોરબીયા, સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ વિગેરે .
- દરરોજ 550 પરિવારોને વિના મૂલ્ય છાશ અપાશે.
- ત્રણ માસમાં 50000 હજાર લિટર છાશનું નિઃશુલ્ક વિતરણ કરાશે.
પરમ પૂજ્ય અ. યોગી જૈનાચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશિષ અને વર્તમાન ગચ્છાધિપતિ જૈનાચાર્ય પ. પૂ આ.ભ. શ્રીમદ વિજય કલ્પતરૂ સૂરીશ્વરજી મહારાજ ની પ્રેરણાથી છેલ્લા 15 વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે તા. 30/3 ને રવિવારે, સ્વ. ચેતન મહેતા ની સ્મૃતિ માં દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયા પરિવાર,માંડવી હાલે ભુજ ના સહયોગથી સતત તેરમા વર્ષે માંડવીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું.
પ . પૂ . આ. ભ. શ્રી ભાવચંદ્રસુરીજી મ.સા.ના શિષ્યરત્ન પ. પુ. મુનિવર્ય શ્રી વિવેકમુનિ મ.સા.તથા પ.પૂ. કોમલબાઈ મહાસતીજી આદિ ઠાણા પાંચ ની પાવન નિશ્રા માં નવાપરા મધ્યે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા ના અધ્યક્ષ સ્થાને અને દાતા પરિવારના મોભી શ્રી શશીકાંતભાઈ મોરબીયા ના મુખ્ય યજમાન પદે યોજાયેલ કાર્યક્રમમાં દાતા કમલાવંતીબેન મોરબીયા તથા ડૉ. રૂપાલીબેન મોરબીયા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સી.સી. જોશી વિગેરે મંચસ્થ રહ્યા હતા અને પૂજ્ય ગુરૂ ભગવંતો ના મંગલાચરણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે દરેકને આવકારી, ત્રણ માસ ચાલનારા આ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી હતી. અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં 50,000 લીટર છાશ વિતરણની નેમ વ્યક્ત કરી હતી. સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાએ સામૂહિક ગુરૂવંદના કરાવી હતી.
નિશ્રા દાતા પ. પૂ. મુનિવર્ય શ્રી વિવેક મુનિ મ.સા. તથા પ. પૂ. કોમલબાઈ મહાસતીજી એ પર સેવા માટે પરસેવો પાડનાર સંસ્થાના તમામ કાર્યકરો તથા ઉદારદિલ દાતાશ્રી ની દિલેરી ને બિરદાવી હતી. અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ નિઃશુલ્ક છાસકેન્દ્ર હજારો જરૂરત મંદો માટે આશીર્વાદ રૂપ બની રહેશે તેમ જણાવી, આ નિઃશુલ્ક છાશ કેન્દ્ર તમામ માટે મંગલમય બને તેવા આશીર્વાદ આપ્યા હતા.
દાતા પરિવારના સેવાભાવી તબીબ ડૉ .રૂપાલીબેન મોરબીયા એ આ નિઃશુલ્ક છાશ કેન્દ્ર ના માધ્યમથી હજારો જરૂરત મંદોની આંતરડી ઠારવાનો લાભ પોતાના પરિવારને આપવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. દાતા પરિવારના મોભી શ્રી શશીકાંતભાઈ બાપા તથા કમલાબા એ પણ આશીર્વાદ સાથે વધારે સહયોગની ખાતરી આપી હતી. માંડવીના જૈન અગ્રણી વાડીલાલ દોશી, જયેશભાઈ શાહ તથા શ્રી જયેશભાઈ ચંદુરા એ શુભેચ્છાઓ પાઠવી હતી.
સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાએ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી નિશ્રા દાતા પૂજ્ય ગુરૂ ભગવંતો તથા દાતા પરિવાર અને લાભાર્થીઓનો ઋણ સ્વીકાર કરી,દરેકને નમન કરતા આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર ત્રણ માસ કરતા પણ વધારે સમય એટલે કે કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ સુધી જારી રાખવાની ઘોષણા કરી હતી. અને દરરોજ 550 જેટલા જરૂરત મંદ પરિવારોને નિઃશુલ્ક છાસ વિતરણ દ્વારા કુલ પચાસ હજાર લિટર છાશનું નિશુલ્ક વિતરણ કરવાનું સંસ્થાએ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. અને આ નિઃશુલ્ક છાસકેન્દ્રના સંપૂર્ણ ખર્ચના દાતા માતા કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયા પરિવારની દીલેરી ને બિરદાવી આભાર માન્યો હતો.
આગળના ચરણમાં દાતા પરિવારના સભ્યો તથા સંસ્થા પરિવાર ના હસ્તે નવકાર મહામંત્રના સ્મરણ સાથે આ નિઃશુલ્ક છાસકેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા ના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ,સી.સી. જોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ,કૌશિક મહેતા, અનસુયાબેન શાહ જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ, રમણીકભાઈ સલાટ વિગેરે જહેમત ઉઠાવી હતી.કમલેશ જોશી, વિપુલ સોલંકી, જયંતીભાઈ સંઘવી, મોહન ગઢવી વગેરે સહયોગી રહ્યા હતા. સંચાલન દિનેશભાઈ શાહે અને આભાર વિધિ શાંતિલાલ મોતા એ કરી હતી.
આ પણ વાંચો : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ
INDIAN SOCIOLOGIST