MUNDRA : 20 મી એપ્રિલ ના વાંકી ગામે પૂજ્ય આચાર્યશ્રી નાગ- રત્ન- લઘુ-વિનોદ આરાધના વાટિકા નું ઉદ્દઘાટન
MUNDRA : 20 મી એપ્રિલ ને રવિવારના રોજ મુન્દ્રા તાલુકાના વાંકી ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પૂજ્ય આચાર્યશ્રી નાગ- રત્ન- લઘુ-વિનોદ આરાધના વાટિકા નું ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન થશે.
મુન્દ્રા તાલુકાના વાંકી ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પૂજ્ય આચાર્યશ્રી નાગ- રત્ન- લઘુ-વિનોદ આરાધના વાટિકા નું ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં તા. 20 /4 ને રવિવારના સવારે 08:46 કલાકે ઉદ્દઘાટન થશે.
કચ્છ આઠ કોટી મોટી પક્ષના શાસન દીપક પૂજ્ય આચાર્યશ્રી છોટાલાલ સ્વામીના સુશિષ્યો -સુશિષ્યાઓ પરમ પૂજ્ય આચાર્યશ્રી નવીનચંદ્રજી મ.સા., માનવ મંદિરના પ્રણેતા પૂજ્ય શ્રી દિનેશચંદ્રજી મ.સા. આદિ ઠાણા, કાર્યવાહક તારાચંદ મુનિ અને તેમના શિષ્યો પ્રશાંત મુનિ અને સમર્પણ મુનિ, આગમ પ્રેમી સુરેશચંદ્રજી મ.સા., દમયંતીબાઇ મહાસતી, વિરમણીબાઈ મહાસતી અને સુનીતાબાઇ મહાસતી આદી ઠાણા ની પાવન નિશ્રામાં વાંકી (તા. મુન્દ્રા) ની મહાજનવાડી માં ભવ્યાતિભવ્ય આરાધના વાટિકા ના ઉદઘાટન નો સમારોહ તા. 20/ 4 અને રવિવાર ના સવારે 9:00 કલાકે યોજાશે.
MUNDRA : આરાધના વાટિકાના ભૂમિદાતાનો લાભ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યશ્રી દેવજી સ્વામી લઘુ ભક્તિધામ (કાંદીવલી- મુંબઈ), માતૃશ્રી મોંઘીબાઈ લાલજી કેશવજી સંગોઈ( હસ્તે:- મલય, કલ્પના, જીતેશ.- કપાયા- કાંદીવલી ) ,માતૃશ્રી જીવીબાઈ વેલજી મોણસી સંગોઈ(વાંકીના નિયાણી, કપાયા- ચેમ્બુર) એ લીધેલ છે.
બાંધકામના દાતાશ્રીઓનો લાભ શ્રી રામજી સોનપાર કેનિયા (હસ્તે:- ધર્મપત્ની અમૃત બેન રામજી કેનિયા,પૌત્ર- પૌત્રવધુ અ.સૌ. સંતોષી મીત કેનિયા, પૌત્ર ચિન્મય દીપક કેનિયા- કપાયા) એ લીધેલ છે.
મુંબઈ થી સંઘ રૂપે લઈ જવાના દાતાનો લાભ માતૃશ્રી ભાણબાઈ વીરજી નથુ નંદુ (હસ્તે:- સુપુત્ર પોપટલાલ અને ભરત નંદુ)એ લીધેલ છે.
MUNDRA : તા.19 /4 ને શનિવારના સાધર્મિક ભક્તિનો લાભ માતૃશ્રી મોંઘીબાઈ લાલજી કેશવજી સંગોઈ( કપાયા )અને તા.20/ 4 ને રવિવારની સાધર્મિક ભક્તિનો લાભ શ્રી રામજી સોનપાર કેનિયા- કપાયા (હસ્તે:- ધર્મ પત્ની અમૃત બેન રામજી સોનપાર કેનિયા)એ લીધેલ હોવાનું માંડવી ના જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વાંકી આઠ કોટી મોટી પક્ષ મુખ્ય સ્થાનકને અડીને એક હજાર ફૂટ ની જગ્યામાં સાતાકારી રૂમો આદિ વિસ્તૃતિકરણ રૂપ પૂજ્ય આચાર્યશ્રી નાગ-રત્ન-લઘુ- વિનોદ આરાધના વાટિકા ના તા. 20/ 4 ને રવિવારના થનારા ઉદ્દઘાટન કાર્યક્રમ માં સંઘોના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, ગામવાસીઓ તથા નિયાણી બહેનો પધારીને શાસન શોભામાં અભિવૃદ્ધિ કરશે. સમારોહ બાદ સહુ ગૌતમ પ્રસાદ નો લાભ આપી સૌ ખુશનુમા વાતાવરણ માં છૂટા પડશે. કાર્યક્રમને સુપેરે પાર પાડવા સ્થાનિક સંઘપતિ, ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ તથા કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.