માંડવી ની સલાયા ગ્રુપ શાળા નંબર-1 માં આઠમા ધોરણના બાળકોને વિદાયમાન અપાયું તેમજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.
VRAXAROPAN : જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની સલાયા ગ્રુપ શાળા નંબર -1 માં તાજેતરમાં શાળામાં અભ્યાસ કરતા આઠમા ધોરણના વિદ્યાર્થીઓને વિદાયમાન આપવા વિદાય સમારંભ તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.
માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલા આ સમારોહ માં મંપરા યુનુસભાઈ , મિસ્ત્રી અબ્દુલ કરીમભાઈ અને અર્બન પી.એચ.સી.ના ડૉ.શિવમ વિડજા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્યશ્રી કાસમભાઈ નોડે એ સ્વાગત પ્રવચન માં સૌને આવકારી, આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી, વૃક્ષારોપણ નું મહત્વ સમજાવ્યું હતું.
VRAXAROPAN : પ્રમુખ સ્થાનેથી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે," શિક્ષણ એ તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે." તેમણે વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવીને પાસ થવા શુભેચ્છા પાઠવી, અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી મેળવવા આશીર્વાદ આપ્યા હતા. તેમણે પણ,આપણા જીવનમાં વૃક્ષોનો ખૂબ જ ફાળો છે તેમ જણાવી, વધુ ને વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. રાજકોટના સદભાવના ટ્રસ્ટના માધ્યમથી કચ્છને હરિયાળું બનાવવા માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ખૂબ જ સારો પ્રયત્ન કરી રહ્યા છે તેમ જણાવી, શ્રી અનિરુદ્ધભાઈ દવે એ અત્યાર સુધી કચ્છમાં સેંકડો વૃક્ષો વાવવા બદલ તેમનો આભાર માન્યો હતો.
અર્બન પી.એચ.સી. ના ડૉ. શિવમ વિડજા, યુનુસભાઇ મંપરા, અબ્દુલ કરીમભાઈ મિસ્ત્રી અને શાળાના વિજ્ઞાન શિક્ષક ડૉ. ચિરાગભાઈ રાવલે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
શાળાના પટાંગણમાં સમારોહના પ્રમુખ, શાળાના આચાર્ય અને અતિથિ વિશેષ શ્રીઓએ ના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
VRAXAROPAN : સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ જેતપરિયા એ કરેલ હતું. જ્યારે શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી ડૉ. ચિરાગભાઈ રાવલે આભાર દર્શન કરેલું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હોવાનું શાળાના આચાર્યશ્રી કાસમભાઈ નોડે જણાવ્યું હતું.
સમારોહના પ્રમુખ તથા અતિથિ વિશેષશ્રીઓનુ શાળા પરિવાર એ શાલ ઓઢાડીને અભિવાદન કરેલ હતું.
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.