માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયને મુંબઈના દાતા તરફથી 20 હજાર રૂપિયા નું દાન મળ્યું.
માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ધર્મ સ્થાનકમાં છ કોટી જૈન સંઘના ગચ્છાધિપતિ અને સાધના સમ્રાટ આદિ સાધુ ભગવંતો અને મહાસતીજી સહિત ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઘાટકોપર (મુંબઈ) નિવાસી દાતા ધારા ભુપેન્દ્રભાઈ શાહએ(હસ્તે: પ્રદીપભાઈ શાહ) તરફથી માંડવીની 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને ₹20,000 નું દાન મળેલ છે .
છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા ,મંત્રી પુનિતભાઈ શાહ (લાકડા વાળા), ખજાનચી જયેશભાઈ જી .શાહ અને કારોબારી સભ્યોએ માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહને.. રૂપિયા 20,000 ના દાનનો ચેક અર્પણ કર્યો હતો.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો