માંડવીમાં ૮મી મે ને ગુરૂવારના રોજ જૈનપુરીમાં ૨૫૮૧ મો શાસન સ્થાપના દિવસ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસેર ઉજવાશે
બંદરીય માંડવી શહેરમાં તા.૦૮-૦૫ ને ગુરુવારના રોજ સવારના ૭ કલાકે, ૨૫૮૧ મો જિન શાસન સ્થાપના દિવસ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસેર ઉજવાશે.
માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ગચ્છાધિપતિ અને સાધના સમ્રાટ પ.પૂ. ભાવચંદ્રજી સ્વામીના શિષ્યરત્ન પ.પૂ.વિવેકચંદ્રજી મ.સા. આદિ ઠાણા અને મહાસતીજીઓની પાવન નિશ્રામાં, ચતુર્વિધસંઘની, પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા, ભક્તિ, મૈત્રીનો સંવેદના સભર "શાસન સ્પર્શ" કાર્યક્રમમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જૈનપુરીમાં પ્રસ્તુત થનાર હોવાનું માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને મંત્રી પુનિતભાઈ શાહે (લાકડાવાળા) જણાવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ, માંડવીના પાંચેગચ્છની નવકારશી નો કાર્યક્રમ પણ જૈનપુરીમાં રાખવામાં આવેલ છે.
આસ્થા,આશા અને આરાધના ના ત્રિવેણી સંગમ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં માંડવીના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જયેશભાઈ જી. શાહ અને દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો