THE INDIAN SOCIOLOGIST

ગાંધીધામમાં 8મી મે ને ગુરૂવારના રોજ 2581 મો શાસન સ્થાપના દિવસ મંગલમય રીતે ઉજવાશે.

 ગાંધીધામમાં 8મી મે ને ગુરૂવારના રોજ 2581 મો શાસન સ્થાપના દિવસ મંગલમય રીતે ઉજવાશે.


ગાંધીધામ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના ઉપક્રમે, પરમ પૂજ્ય આચાર્યશ્રી અનંતયશ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી અનંતજ્ઞાન વિજયજી મ.સા. આદિ ઠાણા 6 ની પાવન નિશ્રામાં તારીખ 08 /05 ને ગુરુવારના સવારના 9:00 કલાકે ચતુર્વિધસંઘની ઉપસ્સ્થિતીમાં 2581 મો શાસન સ્થાપના દિવસ મંગલમય રીતે ઉલ્લાસભેર ઉજવાશે.

શ્રી ચિંતામણી અનંત કલા ગ્રુપ સંચાલિત, મંડળના બાળકો દ્વારા બેન્ડ ,પાઠશાળાના બાળકો દ્વારા વ્હાઇટ એન્ડ વ્હાઈટ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહેશે તેમજ સામાયિકના તથા પ્રતિક્રમણના ભાઈઓ દ્વારા, મંડળની બહેનો દ્વારા ડ્રેસકોડમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સંઘના ટ્રસ્ટી મંડળ દ્વારા, શાસન ધ્વજ ફરકાવવામાં આવનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST