THE INDIAN SOCIOLOGIST

વાસુપૂજ્યસ્વામીનો ૨૦ મો ધ્વજારોહણ ઉલ્લાસભેર ઉજવાયો

વાસુપૂજ્યસ્વામીનો ૨૦ મો ધ્વજારોહણ  ઉલ્લાસભેર ઉજવાયો


ભુજ તાલુકાના ડગાળા (અમૃતાનગર) ગામે વાસુપૂજ્યસ્વામીનો ૨૦ મો ધ્વજારોહણ કાર્યક્રમ બે દિવસીય વિવિધ કાર્યક્રમોથી ભક્તિભાવ પૂર્વક ચતુર્વિધસંઘની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવાયો

સમગ્ર કચ્છ જિલ્લામાં રહેતા અને સુરત-મુંબઈ વગેરે સ્થળોએથી બહોળી સંખ્યામાં ડગાળા વાસીઓ તેમજ ડગાળાની નિયાણીઓ માદરે વતન ડગાળા ગામે ઉમટી પડ્યા



ભુજ તાલુકાના ડગાળા (અમૃતાનગર) ગામે વાસુપૂજ્યસ્વામીનો ૨૦મો ધ્વજારોહણ કાર્યક્રમ બે દિવસીય વિવિધ કાર્યક્રમોથી ભક્તિભાવ પૂર્વક ચતુર્વિધસંઘની ઉપસ્થિતિમાં તા.૦૩-૦૫ શનિવાર અને તા.૦૪-૦૫-૨૦૨૫ દરમ્યાન ઉલ્લાસભેર ઉજવાયો હતો.

સમગ્ર કચ્છ જિલ્લામાં રહેતા (માંડવી - ભુજ - માધાપર - વર્ધમાનનગર - અંજાર અને ભચાઉ વગેરે) તેમજ સુરત-મુંબઈ વગેરે સ્થળોએથી બહોળી સંખ્યામાં ડગાળાવાસીઓ તેમજ ડગાળા ગામની નિયાણીઓ માદરે વતન ડગાળા (અમૃતાનગર) ગામે ઉમટી પડ્યા હતા.

ધ્વજારોહણના આ કાર્યક્રમમાં પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિશ્રી તીર્થવંદનવિજયજી મ.સા., મુનિશ્રી તીર્થપ્રજ્ઞવિજયજી મ.સા. અને મુનિશ્રી તીર્થહિરવિજયજી મ.સા. તથા પંજાબ કેસરી વલ્લભસુરી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીશ્રી પ.પૂ. પ્રવતિઁની હેમલતાશ્રીજી, પ.પૂ. હિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. અને પ.પૂ. સંયમપ્રજ્ઞાશ્રીજી મ.સા.એ નિશ્રા પ્રદાન કરી હતી.

બે દિવસના ધ્વજારોહણ સહિતના સંપૂર્ણ લાભ માતૃશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવાર (હસ્તે. કીર્તિભાઈ મહેતા) અને જીતેન્દ્રભાઈ મહેતાએ લીધો હોવાનું ડગાળા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલ શાહ (મહેતા) એ જણાવ્યું હતું.

આ વર્ષ (સંવત ૨૦૮૧) ની વાસુપૂજ્યસ્વામીની ધ્વજારોહણનો લાભ માતૃશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવારે, શાંતિનાથદાદાની ધ્વજાનો લાભ ગાંધી નેણશી કસ્તુર પરિવાર (હસ્તે. હીરાલાલભાઈ ગાંધી)એ, અજીતનાથદાદાની ધ્વજાનો લાભ મહેતા મણીબેન મગનલાલ (હસ્તે. જેન્તીભાઈ મહેતા)એ, પદ્માવતી માતાજીની ધ્વજાનો લાભ મણીબેન મગનલાલ મહેતા (હસ્તે જેન્તીભાઈ મહેતા)એ અને મણીભદ્રવીરદાદાની ધ્વજાનો લાભ મહેતા ભગવાનજીભાઈ નેણશીભાઈ પરિવારે લીધો હતો. જ્યારે આવતા વર્ષ (સવંત ૨૦૮૨)ની ધ્વજાનો લાભ ડગાળા ગામની દિકરીઓ એ સંયુક્ત રીતે લીધો હતો. વિવિધ ધ્વજાની ઉછામણીમાં ભાવિકો મન મૂકીને વરસ્યા હતા.

ધ્વજારોહણના પ્રથમ દિવસે તા.૦૩-૦૫ ને શનિવારના નવકારશી, અઢાર અભિષેક, સંઘ સ્વામીવાત્સલ્ય, મણિભદ્રવીરદાદા પૂજન, ચૌવિહાર અને સંધ્યાભક્તિ વગેરેના કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે ૮-૩૦ કલાકે "એક શામ રિશ્તો કે નામ" કાર્યક્રમ જીતેન્દ્રભાઈ મહેતાએ પ્રસ્તુત કર્યો હતો. ગાયક કલાકારો દેવાંગી બ્રહ્મભટ્ટ, વિક્રમ લાબડીયા અને પંકજ જોગીએ સંગીતના કાર્યક્રમમાં ડગાળાવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમના લાભાર્થી માતૃશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવાર હતાં. આ કાર્યક્રમમાં ધ્વજારોહણના બે દિવસના કાર્યક્રમનો લાભ લેનાર માતૃશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવારના કિર્તીભાઈ મહેતા અને જીતેન્દ્રભાઈ મહેતાનું ડગાળા સંઘ તરફથી સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને ટ્રસ્ટી મંડળે તથા માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાળા પરિવારના સંજયભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, કેરીન ભરતભાઈ મહેતા અને ચૈત્ય વિરલભાઈ મહેતાના હસ્તે સન્માન થયું હતું. આ ઉપરાંત ડગાળા ગામની ગાયમાતાને દર મહિને ૩ થી ૪ ગાડી લીલાચારાનું નિરણ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કરવામાં આવે છે તે બદલ ચેમ્બરના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચાનું ડગાળા જૈન સંઘ અને ડગાળા ગૌસેવા સમિતિએ સન્માન કરેલ હોવાનું ડગાળા જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલ શાહ (મહેતા) એ જણાવ્યું હતું.

ધ્વજારોહણના બીજા દિવસે તા.૦૪-૦૫ ને રવિવારના ગુરૂભગવંતોનું ભવ્યાતિભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું. ગુરૂભગવંતોએ પ્રેરક પ્રવચન આપેલ હતું. રવિવારના ગ્રામ્ય દર્શન, નવકારશી, સતરભેદી પૂજા, સ્વામીવાત્સલ્ય, ચૌવિહાર, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિજયમૂર્હુતે માતૃશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવારના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો.

માતૃશ્રી કુવરબેન મુલચંદ ભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર-અંજાર) ના સૌજન્ય થી ડગાળા જૈનસંઘે તપસ્વીઓ નુ બહુમાન કરેલ હતુ.

ધ્વજારોહણના પ્રસંગે ડગાળા જૈનસંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ કાંતિભાઈ મહેતા, ભરતભાઈ મહેતા, જેન્તીભાઈ મહેતા, વાડીલાલભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, દિનેશભાઈ મહેતા, રમેશભાઈ મહેતા, હીરાલાલભાઈ ગાંધી, જીતેન્દ્રભાઈ મહેતા, કિર્તીભાઈ મહેતા સહિત બહોળી સંખ્યામાં ડગાળાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST