૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા અને ઢસડીને ચાલતા દિવ્યાંગ બેનને ટ્રાયસિકલ અર્પણ કરીને સ્વનિર્ભર બનાવાયા
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના ઉપક્રમે માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહયોગથી અબડાસા તાલુકાના મોટા કરોળીયા ગામના ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા અને ઢસડીને ચાલતા દિવ્યાંગ બેનને ટ્રાયસિકલ અર્પણ કરીને સ્વનિર્ભર બનાવાયા
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના ઉપક્રમે, માંડવીમાં ૩૩ વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહયોગથી અબડાસા તાલુકાના મોટા કરોળીયા ગામના ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા અને ઢસડીને ચાલતા દિવ્યાંગ બેનને ટ્રાઈસિકલ અર્પણ કરીને સ્વનિર્ભર બનાવાયા હતા.
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોષી પાસે મોટા કરોળીયા (તા.અબડાસા)ના દિવ્યાંગ બેન ગઢવી જયશ્રીબેન સામતભાઈને ટ્રાયસિકલ મળવા માટે માંગણી મોબાઈલ દ્વારા આવી હતી. અરવિંદભાઈ જોષીના મોબાઈલ મેસેજથી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ટ્રસ્ટી મંડળે આ દિવ્યાંગ બેનને ટ્રાયસિકલ આપવાનો નિર્ણય લીધો હતો.
માંડવીના નાનાલાલ વોરા માર્ગ ઉપર આવેલા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને વર્તમાન મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા એક સાદા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી કમલેશભાઈ પાઠક, માંડવી લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા તથા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સક્રિય સભ્ય તથા ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડાના હસ્તે મોટા કરોળીયા (તા.અબડાસા)ના દિવ્યાંગ બેન ગઢવી જયશ્રીબેન સામતભાઈ ને ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી. સંજયભાઈ ગઢવી તેમજ સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમાર સહયોગી રહ્યા હતા.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો