માંડવીના નવાપરામાં શરૂ થયેલા છાશના નિ:શુલ્ક પરબને મળતો વ્યાપક આવકાર
નવચેતન સંસ્થાનું માનવ સેવાનું ઉમદા કાર્ય
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર - ભુજ દ્વારા દાતાના સૌજન્યથી માંડવીના નવાપરામાં ૩૦મી માર્ચ - ૨૦૨૫ થી શરૂ થયેલા છાશના નિ:શુલ્ક પરબને વ્યાપક આવકાર મળી રહ્યો છે.
મૂળ માંડવીના પરંતુ હાલમાં ભુજ નિવાસી ઉદારદિલ દાતા શ્રીમતી કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયાના સૌજન્યથી, ઉનાળાની કાળજાળ ગરમીથી વટેમાર્ગુઓને રાહત આપવા માટે, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર - ભુજ દ્વારા માંડવીના નવાપુરામાં છાશનું નિ:શુલ્ક પરબ શરૂ કરવામાં આવેલ છે તેને વ્યાપક આવકાર મળી રહ્યો હોવાનું સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે જણાવ્યું છે.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો