THE INDIAN SOCIOLOGIST

વ્યસનમુક્તિ અભિયાનને રૂપિયા ૫૧૦૦૦/- (એકાવન હજાર)નું દાન

વ્યસનમુક્તિ અભિયાનને રૂપિયા ૫૧૦૦૦/- (એકાવન હજાર)નું દાન 



ભુજ તાલુકાના વર્ધમાનનગર (ભુજોડી)ના જૈન ટ્રસ્ટે પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરીત વ્યસનમુક્તિ અભિયાનને રૂપિયા ૫૧૦૦૦/- (એકાવન હજાર)નું દાન આપ્યું

ભુજ તાલુકાના વર્ધમાનનગર (ભુજોડી)ના જૈન ટ્રસ્ટે તાજેતરમાં, પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનને રૂપિયા ૫૧૦૦૦/= (એકાવન હજાર)નું દાન આપેલ છે.

શ્રી વર્ધમાનનગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ મોહનલાલ મહેતા અને ખજાનચી ગૌતમભાઈ શાંતિલાલ શાહ, પ. પૂ. નરેશમુનિ "આનંદ" અને પ. પૂ. ઓજસમુનિ (મંગલ) મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ, વર્ધમાનનગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ તરફથી, વ્યસનમુક્તિ અભિયાનને રૂપિયા ૫૧૦૦૦/= (એકાવન હજાર) નું દાન આપેલ છે.

વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ., મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહ અને ટ્રસ્ટી સંદીપભાઈ શાહને માંડવી ખાતે વર્ધમાનનગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ મોહનલાલ શાહ અને ખજાનચી ગૌતમભાઈ શાંતિલાલ શાહે, દાનનો રૂપિયા ૫૧૦૦૦/= નો ચેક અર્પણ કર્યો હતો.

હાલમાં નંદિસરોવર (તા. મુન્દ્રા) માં સ્થિરતા કરતા વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પ. પૂ. નરેશમુનિ "આનંદ" મહારાજ સાહેબ અને તેમના શિષ્ય પ. પૂ. ઓજસમુનિ "મંગલ" મ.સા. વ્યસનમુક્તિ અભિયાનના મોભી - ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ - ડો. દિનેશભાઈ જોષી, ઉપપ્રમુખ - જયેશભાઈ જી. શાહ, મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહ, ટ્રસ્ટીઓ મુકેશભાઈ મહેતા અને સંદીપભાઈ શાહે, વ્યસનમુક્તિ અભિયાનને રૂપિયા ૫૧૦૦૦/= નું દાન આપવા બદલ વર્ધમાનનગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ તથા ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ મહેતા અને ખજાનચી ગૌતમભાઈ શાહનો આભાર માન્યો હતો.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST