જૈન સમાજના વિદ્યાર્થીઓને સતત છઠ્ઠા વર્ષે નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાશે.
માંડવીના ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચ તરફથી માંડવીના જૈન સમાજના વિદ્યાર્થીઓને દાતાના સહયોગથી સતત છઠ્ઠા વર્ષે નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાશે.
માંડવીના ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચ તરફથી માંડવીના સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓને દાતાના સહકારથી સતત છઠ્ઠા વર્ષે નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાશે.
સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહ ના જણાવ્યા મુજબ,દાતા પરિવાર માતૃશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવીના સ્મરણાર્થે, હસ્તે:- શ્રીમતી રેખાબેન નટવરલાલ સંઘવી, મુળ માંડવી હાલે મુંબઈ ના સહયોગથી માંડવી શહેરના સમગ્ર જૈન સમાજના વિદ્યાર્થીઓને તા. 25/ 5 /2025 ને રવિવારના રોજ બપોરના 4:00 વાગ્યાથી માંડવીની આયંબિલ શાળામાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ નોટબુક લેવા ઈચ્છતા હોય તેમણે 2024 અથવા 2025 ની સાલના પરિણામ પત્રકની ઝેરોક્ષ કોપી તા.20 /5 /2025 સુધીમાં પરેશભાઈ સંઘવી," ફ્રેન્ડ્સ", શોભા દેવશીની શેરી,કે.ટી.શાહ રોડ માંડવી ને આપી જવા સંસ્થા તરફથી વિનંતી કરાઈ છે.પરિણામ પત્રકના પાછળના ભાગમાં મોબાઈલ નંબર ફરજિયાત લખવાના રહેશે.
ધોરણ ત્રણ થી કોલેજમાં અભ્યાસ કરતા માંડવીના સર્વે જૈન વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે બહારગામ અભ્યાસ કરતા હોય પરંતુ તેમનો પરિવાર માંડવી શહેરમાં રહેતા હોય તેમને પણ નોટબુક આપવામાં આવશે. તા. 20 /5 /2025 પછી પરિણામ પત્રકો લેવામાં નહીં આવે તેની નોંધ લેવા જણાવાયુ છે.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો