માંડવી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ધર્મ સ્થાનક નું ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન થયું.
માંડવી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ધર્મ સ્થાનક નું ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિમાં ગાદીના ધામ ની લગોલગ આવેલ પ્લોટમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે તાજેતરમાં દાતાના હસ્તે ભૂમિ પૂજન થયું હતું.
આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા-4 ની પ્રેરણાથી ઉદાર દિલ દાતા માતૃશ્રી મણીબેન માવજી વોરા, બાલાસર (વાગડ હાલે મુંબઈ ) તરફથી નુતન ધર્મ સ્થાનક માટે સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હોવાનું માંડવી આંઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પ્રમુખ નિખિલેશભાઈ રમેશચંદ્ર ભંડારી અને મંત્રી નિલેશભાઈ નારાણજી સંઘવીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ગચ્છાધિપતિ અને સાધના સમ્રાટ પરમ પૂજ્ય ભાવચંદ્રજી મ.સા. અને પરમ પૂજ્ય વિવેક મુનિ મહારાજ સાહેબે, મંગલાચરણ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. આઠકોટી જૈન સંઘના હિતચિંતક ઉપકારી પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતીએ માંગલિક સાથે આર્શીવાદ પાઠવી, દાતા પરિવારના અનુમોદના કરી હતી. પરમ પૂજ્ય દર્શિતાબાઈ મહાસતીએ ધર્મસ્થાનક નું મહત્વ સમજાવી, દાતા પરિવારને બિરદાવી, શુભેચ્છા પાઠવી હતી.
ઓઝા નિલેશભાઈ મારાજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, વિધિ વિધાન કરી,દાતા પરિવારના હસ્તે ભૂમિ પૂજન કરાવેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
દાતા પરિવાર વતી કચ્છ આઠ કોટી મોટી પક્ષ મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા, કાંતિભાઈ વોરા ( કાકા ),કિર્તીભાઈ,મહેન્દ્રભાઈ, અમિતભાઈ, અનિલભાઈ, રાહુલભાઈ,લતાબેન અને હીનાબેન વોરા વગેરેના હસ્તે ધર્મસ્થાનક ની ભૂમિ પૂજનની વિધિ સંપન્ન થઈ હોવાનું માંડવી આટકોટી મોટી પક્ષ જૈન સંઘના ઉપપ્રમુખ પંકજભાઈ દામજી સંઘવી, ખજાનચી રાજીવભાઈ ભાઈલાલ શાહ અને સહ મંત્રી ચિંતનભાઈ મહેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે દાતા પરિવારનું માંડવી સંઘે બહુમાન કરેલ હતું. નૂતન કારોબારી તરફથી સંઘની નવકારશી યોજાઈ હતી.
પ્રારંભમાં માંડવી સંઘના પ્રમુખ નિખિલેશ ભાઈ ભંડારીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ધર્મસ્થાનક ની ભૂમિકા સમજાવી હતી. પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી અને દાતા પરિવાર પ્રત્યે ઋણ અદા કર્યો હતો.આ પ્રસંગે માંડવીના જુદા જુદા જૈન સંઘના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જૈન સંઘ તરફથી પ્રભાવના કરાઈ હતી.
સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા માંડવી સંઘના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી સંઘના મંત્રી નિલેશભાઈ સંઘવીએ કરેલ હતું.જ્યારે પ્રમુખ નિખિલેશભાઈ ભંડારીએ આભાર દર્શન કરેલ હતું.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો