શેઠશ્રી પુરુષોત્તમ કાનજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય માં પ્રવેશની કાર્યવાહી ચાલુ છે
શેઠશ્રી પુરુષોત્તમ કાનજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય, ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા કન્યા છાત્રાલય છે.
માંડવીના વહાણવટી માર્ગ ઉપર આવેલું આ સાર્વજનિક કન્યા છાત્રાલય, કન્યાઓ માટે આશીર્વાદ રૂપ છે.
આ કન્યા છાત્રાલયમાં ધોરણ ૭ થી કોલેજ માટે રહેવા-જમવાની સગવડ ઉપલબ્ધ છે. આ છાત્રાલયમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશની કાર્યવાહી ચાલુ હોવાનું, છાત્રાલયના અગ્રણીઓ શાંતિલાલભાઈ ગણાત્રા (૯૮૨૫૨૩૫૭૨૦), પ્રતાપભાઈ ચોથાણી (૯૪૨૮૩૦૮૭૬૩), પરેશભાઈ ઠક્કર - ભુજ (૯૮૨૫૩૬૧૭૦૫), પ્રજ્ઞાબેન પોપટ (૯૬૮૭૨૩૨૩૫૬) અને ગૃહમાતા વિજયાબેન (૮૧૪૧૧૫૦૨૧૧) એ જણાવ્યું હતું.
સમયની માંગ અને લાંબા સમયથી વાલીઓ, કન્યાઓની માંગણીને ધ્યાને લેતા ચાલુ વર્ષે, નવા સત્રથી "કન્યા છાત્રાલય" ધોરણ ૭ થી કોલેજ સુધી અભ્યાસ કરતી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે.
આ કન્યા છાત્રાલયમાં જરૂરિયાતમંદ કન્યાઓ માટે રાહત દરથી પ્રવેશ અપાય છે. "કોરોના" મહામારીમાં જે કન્યાઓએ "માતા" અથવા "પિતા" ની છત્રછાયા ગુમાવેલ હશે તેવી કન્યાઓની ફી મા ૫૦(પચાસ) ટકા રાહત અથવા સંપૂર્ણ માફી આપવામાં આવનાર હોવાનું શાંતિલાલભાઈ ગણાત્રા અને પ્રતાપભાઈ ચોથાણી એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
- ઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા માંડવીનું છાત્રાલય કન્યાઓ માટે આશીર્વાદ રૂપ છે
- ______________________________________
- ધોરણ ૭ થી કોલેજ માટે રહેવા-જમવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
- ______________________________________
- વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશની કાર્યવાહી ચાલુ છે
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો