THE INDIAN SOCIOLOGIST

લુણી ગામે આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા

મુન્દ્રા તાલુકાના લુણી ગામે આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, વૈશાખ મહિનાની પૂનમની પાંખીએ ચતુર્વિધસંઘની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા



મુન્દ્રા તાલુકાના લુણી ગામે આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, તાજેતરમાં વૈશાખ મહિનાની પૂનમની પાંખીએ ચતુર્વિધસંઘની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા.

કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રી નવીનચંદ્રજી મહારાજ સાહેબ અને તેમના શિષ્ય આગમપ્રેમી સુરેશમુનિ મહારાજ સાહેબ ઠાણા ૨, પ.પૂ. ઉજ્વલાબાઈ મહાસતીજી ઠાણા ૨ તથા પ.પૂ. સદગુણાભાઈ મહાસતીજી ઠાણા ૨ ની પાવન નિશ્રામાં વૈશાખ મહિનાની પૂનમની પાંખીએ, છઠ્ઠ, ઉપવાસ, આંયબિલ, એકાસણા, બ્યાસણા આદિ વિવિધ તપ-જપ, વ્યાખ્યાન, પ્રાર્થના, પ્રતિક્રમણ, શાનગોષ્ટી સાથે ભાઈઓના ૭ પૌષધ વ્રત જેવા ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

આ પ્રસંગે ધનજીભાઈ, રમણીકભાઈ, કાંતિભાઈ, રોનકભાઈ, શાંતિભાઈ ધરોડ, હિતેશભાઈ સોની અને અશ્વિનભાઈ દેઢીયા વગેરે એ વિવિધ ધાર્મિક આરાધના સાથે સાધુ જીવન અનુભવ્યું હતું.

આચાર્ય નવીનચંદ્રજી મ.સા.ની ૬૩મી દીક્ષાજયંતી અને ૨૫૮૧માં જૈન શાસન સ્થાપના દિવસે વિવિધ ધર્મ આરાધના તપ-જપાદી અનુષ્ઠાનો થયા હતા.

હાલમાં લુણી (તા.મુન્દ્રા) માં સાધુ ભગવંતો અને મહાસતીજીઓની પાવન નિશ્રામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ધર્મ આરાધના ઓ થઈ રહી છે અને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેવો માહોલ જામ્યો છે.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST