THE INDIAN SOCIOLOGIST

માંડવીને રેલવે સુવિધા માટે સાંસદ સભ્ય વિનોદ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે પ્રયત્નશીલ છે.

માંડવીને રેલવે સુવિધા માટે સાંસદ સભ્ય વિનોદ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે પ્રયત્નશીલ છે.


માંડવીને રેલવેની સુવિધા મળશે તો માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો વિકાસ થશે.


માંડવી સર્વાંગી વિકાસ પરિષદે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે તેમજ જન સમર્થન માટે પ્રયત્નો કરી રહ્યા છે.

માંડવીને રેલવેની સુવિધા મળશે તો માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો વિકાસ થશે એમાં શંકાને સ્થાન નથી. માંડવીને રેલવેની સુવિધા મળે તે માટે કચ્છના લોકલાડીલા અને કચ્છના વિકાસ માટે હંમેશા અગ્રેસર રહેનાર કચ્છ જિલ્લાના સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબ તથા માંડવીના લોકલાડીલા અને માંડવીના વિકાસ માટે સતત રસ લેતા માંડવીના ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબ સતત પ્રયત્નશીલ છે.

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા માંડવીને રેલવેની સુવિધા ઝડપથી મળે તે માટે, વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રના રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈશ્ર્નવી સાહેબ, કેન્દ્રના પૂર્વ રેલ્વે મંત્રી માનનીય દિનેશભાઈ ત્રિવેદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાજ્યના પ્રમુખ માનનીય સી.આર.પાટીલ સાહેબ, કચ્છના સંસદ સભ્ય માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, માંડવીના ધારાસભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ સહિત કચ્છ ના તમામ છ એ (૬) ધારાસભ્યશ્રીઓને માંડવી સર્વાંગી વિકાસ પરિષદે, માંડવીને રેલવેની સુવિધા ઝડપથી આપવા લેખિતમાં રજૂઆત કરેલ છે. માંડવીને રેલવેની સુવિધા મળવાથી, માંડવી અને સમગ્ર કચ્છનો વિકાસ તો થશે જ પરંતુ રેલવે મંત્રાલયને પણ ફાયદો થશે. આ રજૂઆતમાં તમામ ડેટા ની વિગતવાર માહિતી પણ રજૂ કરેલ છે.

તાજેતરમાં માંડવીના લોકલાડીલા અને માંડવીના વિકાસ માટે સતત રસ લેતા માંડવીના ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવેની સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની આગેવાની હેઠળ રૂબરૂ મુલાકાત લઈ, માંડવીને ઝડપથી રેલવેની સુવિધા અપાવવા જોરદાર રજૂઆત કરી હતી. આ પ્રતિનિધિ મંડળમાં સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, બીજા ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ, ખજાનચી ભરતભાઈ કપ્ટા, કારોબારી સભ્ય અને ચેમ્બરના માનદમંત્રી નરેન્દ્રભાઈ સુરૂ તથા કારોબારી સભ્ય અને ચેમ્બરના ખજાનચી ચંદ્રસેનભાઇ કોટક જોડાયા હતા અને રજૂઆતમાં સુર પુરાવ્યો હતો.

માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને તેમણે માંડવીને રેલવેની સુવિધા આપવા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લેખીત રજૂઆત કરેલ છે તેમ જણાવ્યું હતું. તેમણે માંડવી સર્વાંગી વિકાસ પરિષદની રજૂઆતને ટેકો જાહેર કરતા જણાવ્યું હતું કે, સંસ્થાનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર આવશે તો ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે મુલાકાત કરાવી આપવા ખાતરી ઉચ્ચારી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રેલવે મંત્રાલયના નિવૃત ઉચ્ચ અધિકારી માનનીય રાવ સાહેબ, માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારોને, માંડવીને રેલવેની સુવિધાના પ્રશ્ને દિલ્હીથી માંડવી રૂબરૂ મળવા બે વખત આવેલ હતા ત્યારે સંસ્થાએ રેલવેની જરૂરિયાત માટેના કારણો અને વિગતવાર ડેટા આપેલ હતા. અને રાવ સાહેબે મુલાકાતથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

માંડવી સર્વાંગી વિકાસ પરિષદે છેલ્લા એક મહિનાથી જન સમર્થન મેળવવાનું પણ શરૂ કરેલ છે. પરિષદના મંત્રી દિનેશભાઈ શાહ અને બંને ઉપપ્રમુખશ્રીઓ દિપકભાઈ પંડ્યા અને લિનેશભાઈ શાહે ભુજ અને ગાંધીધામની મુલાકાત લઈ, જન સમર્થન મેળવ્યું હતું. આ બંને શહેરોની જુદી જુદી સંસ્થાઓ તરફથી ખૂબ જ સમર્થન મળેલ હતું. નજીકના સમયમાં કચ્છના અન્ય તાલુકા મથકોની મુલાકાત લઈ, જન સમર્થન માટે નમ્ર પ્રયાસ કરશે.

કચ્છ ઉપરાંત અમદાવાદ - વડોદરા - સુરત - મુંબઈ - દુબઈ - મસ્કત વગેરે સ્થળોએ રહેતા કચ્છી લોકોનું જન સમર્થન મેળવશે. માંડવી નગરપાલિકા તથા તાલુકા પંચાયત તરફથી પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે. માંડવી સર્વાંગી વિકાસ પરિષદના કારોબારી સભ્યો દેવેન્દ્રભાઈ વ્યાસ અને રસિકભાઈ દોશી તરફથી પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST