તારાચંદ મુનિ મ.સા.નો ૩૭મો દિક્ષા દિવસ અને તેમના શિષ્ય પ્રશાંતમુનિ મ.સા.નો ૪૭મો જન્મદિવસ ઉલ્લાસેર ઉજવાયો
આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક તારાચંદ મુનિ મ.સા.નો ૩૭મો દિક્ષા દિવસ અને તેમના શિષ્ય પ્રશાંતમુનિ મ.સા.નો ૪૭મો જન્મદિવસ, મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસેર ઉજવાયો
આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પ.પૂ.તારાચંદમુનિ મ.સા.નો દીક્ષા દિવસ અને તેમના શિષ્ય પ.પૂ. પ્રશાંતમુની મ.સા.નો ૪૭મો જન્મદિવસ, કાંડાગરા (તા.મુન્દ્રા)માં ચતુર્વિધસંઘની ઉપસ્થિતિમાં ભક્તિભાવ પૂર્વક જૈન સ્થાનક મધ્યે ઉજવાયો હતો.
કાંડાગરા જૈન સ્થાનકમાં સવારના ૮ કલાકે ભક્તામર પ્રાર્થનામાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૮-૩૦ કલાકે, ચતુવિઁધસંઘે બંને જૈન સંતોને શુભકામના પાઠવી હતી અને ચારિત્ર વંદનાવલી તેમજ ત્રિરંગી સામાયિકનો કાર્યક્રમ યોજાયો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે કસ્તુરબાઈ મહાસતી, નિપુણામહાસતી, સંગીતાબાઇ મહાસતી તથા અચલગચ્છ જૈન સંઘના જ્યોતિકલા મ.સા. અને દિવ્યગુણાશ્રીજી મહારાજ સાહેબે નિશ્રા પ્રદાન કરી હતી.
આ પ્રસંગે કાંડાગરા જૈન સંસ્થાઓમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને રોકડ રકમના કવર થી તેમની અનુમોદના કરવામાં આવી હતી, આ ઉપરાંત મોટી પક્ષના તમામ જૈન સ્થાનકોમાં ડિજિટલ ઘડિયાળની ભેટ આપવામાં આવી હતી.
તમામ કાર્યક્રમોમાં ૧૦૦ (એકસો)થી વધારે ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ગુરુભક્તો તરફથી ૨૦૦ (બસો) રૂપીયાની પ્રભાવના કરવામાં આવી હતી.
બંને જૈન સંતોએ પ્રેરક જીનવાણીનું શ્રવણ કરાવ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો