DWAJAROHAN : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો
તપગરછ જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય પણ યોજાયું
DWAJAROHAN : માંડવીના શ્વેતાંબર મૂર્તિપૂજક તપગરછ જૈન સંઘના જિનાલયમાં તા. ૦૩-૦૫ ને શનિવારના રોજ, ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ, ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો હતો.
DWAJAROHAN : શીતલ-પાર્શ્વ જિનાલયમાં સવારના ૦૯-૩૦ કલાકે, શીતલ મંડળ તથા ત્રીશલા મંડળની બહેનોએ સતરભેદી પૂજા ભાવવાહી રીતે ભણાવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
DWAJAROHAN : પ્રભુજીની ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાળા પરિવારે, પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ શાહ કાનજી ઠાકરશી પરિવાર અને માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાળા પરિવારે, પ્રદક્ષિણામાં ધૂપ લઈને ચાલવાનો લાભ જીગરભાઈ વૃજલાલ સંઘવી (હસ્તે:-પૂર્ણિમાબેન), પ્રદક્ષિણામાં દિપક લઈને ફરવાનો લાભ ગુલાબબેન ભોગીલાલ શાહે (હસ્તે:- જ્યોત્સનાબેન), પ્રદક્ષિણામાં જમણી બાજુ ચામર લઈને ચાલવાનો લાભ વિધાન જીનેશભાઈ બોરીચા પરિવારે, ડાબી બાજુ ચામર લઈને ચાલવાનો લાભ માતૃશ્રી મણીબેન હીરજી સંઘવી પરિવારે , ભદ્રેશ્વર વસઈ તીર્થની ૧૮ નંબરની ડેરીમાં ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી પરિવારે, આરતી નો લાભ માતૃશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે, મંગલદિવાનો લાભ માંડવીના ત્રિશલા મંડળે જ્યારે શાંતિકળશનો લાભ વિધાન જીનેશભાઈ બોરીચા પરિવારે લીધો હતો.
DWAJAROHAN : સતરભેદી પૂજા બાદ વિજયમૂર્હુતે બપોરે ૧૨-૩૯ કલાકે શાહ કાનજી ઠાકરશી શાહ પરિવાર અને માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાળા પરિવારે, પ્રભુજીને ધ્વજા ચડાવી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
DWAJAROHAN : બપોરે શીતલ-પાર્શ્વ જીનાલયમાં આવેલા જે.આર.ડી. સાધાર્મિક ભક્તિ હોલમાં તપગચ્છ જૈન સંઘ નું સ્વામીવાત્સલ્યનો કાર્યક્રમ યોજાયુ હતું . બધા કાર્યક્રમોમાં ભાવિકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.