JIVDAYA : માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ સતત ૧૩માં વર્ષે બુધવારે જીવદયાના પ્રોજેક્ટનો શુભારંભ કરશે
JIVDAYA : ૧૦૦ દિવસ સુધી ૬૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો લીલોચારો પશુઓને નિરણ કરાશે
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ સતત ૧૩માં વર્ષે તા. ૦૭-૦૫-૨૦૨૫ ને બુધવારથી જીવદયાના પ્રોજેક્ટનો શુભારંભ કરશે.
JIVDAYA : માંડવી ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં તા.૦૭-૦૫ ને બુધવારના સવારના ૧૦-૧૫ કલાકે, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને અને માંડવીના પૂર્વ નગરપતિશ્રી રસિકભાઈ દોશીના અતિથિ વિશેષ પદે યોજાનારા કાર્યક્રમમાં જીવદયાના પ્રોજેક્ટનું ઉદઘાટન માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબ કરશે.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સતત ૧૩ મા વર્ષે જીવદયા માટે આવતા ૧૦૦ દિવસ સુધી ગાયમાતા તેમજ ભટકતા આખલાઓ માટે લીલાચારાના નીરણ કાર્યની શરૂઆત કાયમીદાતાશ્રી મુળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી વતનપ્રેમી દાતા શ્રીમતી હાર્દિકાબેન
JIVDAYA : પ્રદીપ ભાઈ શાહના જન્મદિવસના અનુસંધાને જીવદયાના પ્રોજેક્ટનો તા.૦૭-૦૫ ને બુધવારથી શુભારંભ થઈ રહ્યો હોવાનું સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને માનદમંત્રી નરેન્દ્રભાઈ જે સુરૂ અને ખજાનચી ચંદ્રસેનભાઇ કોટકે જણાવ્યું હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ૧૦૦ દિવસ સુધી ચાલનારા જીવદયાના આ પ્રોજેક્ટમાં કચ્છની ૩૦ પાંજરાપોળો અને ૮ થી ૧૦ મહાજન વિહોણા ગામોમાં તેમજ નારાયણસરોવરથી આડેસર (તા.રાપર) સુધી મુંગા પશુઓને રૂપિયા ૬૦ (સાઠ) લાખ જેટલી માતબર રકમનો લીલાચારાનું નિરણ કરવામાં આવનાર હોવાનું લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચાએ જણાવ્યું હતું.
JIVDAYA : માંડવી ચેમ્બર ઓફ કોમર્સ,વતનપ્રેમી દાતા શ્રીમતી હાર્દિકાબેન પ્રદિપભાઈ શાહના દાનથી જ ૨૦૧૨ની સાલથી જીવદયાના પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. આ દંપતી છેલ્લા ૧૨ વર્ષથી માંડવી ચેમ્બર ઓફ કોમર્સને જીવદયાના પ્રોજેક્ટ માટે દર વર્ષે રૂપિયા ૬ થી ૮ લાખનું માતબર દાન આપે છે.
માંડવીના પૂર્વ નગરપતિ રસિક ભાઇ દોશી દર વર્ષે જીવદયાના પ્રોજેક્ટ માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સને જેટલું દાન આવે છે તે પૈકી પચાસ ટકા દાન, દેશ-પરદેશના પોતાના મિત્ર વર્તુળમાંથી માંડવી ચેમ્બર ઓફ કોમર્સને મેળવી આપે છે.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સને જીવદયા માટે જેટલું દાન આવે છે તે બધું જ દાન દર વર્ષે વાપરી નાખે છે. બચાવતા નથી એ પ્રેરણાદાયી કાર્ય હોવાનું માંડવીના રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
જીવદયાના આ પ્રોજેક્ટને સુપેરે પાર પાડવા સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, ઉપપ્રમુખ પારસભાઈ વી શાહ, માનદમંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, ખજાનચી ચંદ્રસેનભાઈ કોટક, પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા, ગ્રુપ નેતા અરવિંદભાઈ શાહ અને ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો