THE INDIAN SOCIOLOGIST

NAVCHETAN BHUJ : ભુજની નવચેતન સંસ્થા સંચાલિત માંડવીમાં ચાલતા નિઃશુલ્ક છાસ કેન્દ્રે બે માસ સંપન્ન કર્યા.

 NAVCHETAN BHUJ : ભુજની નવચેતન સંસ્થા સંચાલિત માંડવીમાં ચાલતા નિઃશુલ્ક છાસ કેન્દ્રે બે માસ સંપન્ન કર્યા.

         
 જૈન સેવા સંસ્થા "નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર -ભુજ" દ્વારા માંડવીમાં સતત 13 માં વર્ષે, માંડવીના નવાપરામાં છાશનું નિઃશુલ્ક વિતરણ કરતા, દાતા શશીકાંતભાઈ મોરબીયા, સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ વગેરે નજરે પડે છે.

બે મહિનામાં 27,800 લિટર નિઃશુલ્ક છાશનું વિતરણ કરીને સંસ્થાએ એક લાખ ચોર્યાસી હજાર લોકોની ભક્તિનો લાભ લીધો.

આ નિઃશુલ્ક છાશ કેન્દ્ર "કચ્છી નવા વર્ષ " 'અષાઢી બીજ 'સુધી ચાલુ રાખવા સંસ્થાએ ઘોષણા કરી.


NAVCHETAN BHUJ : જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરૂ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ અને પ્રેરણાથી, છેલ્લા 15 વર્ષથી, સ્વ. ચેતન મહેતા ની સ્મૃતિમાં, વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા "નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર"- ભુજ ના ઉપક્રમે, દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશીકાંતભાઈ ખીમજીભાઇ મોરબીયા (માંડવી હાલે ભુજ ) ના સહયોગ થી સતત 13માં વર્ષે, માંડવી માં નવાપરા માં શરૂ કરાયેલ નિઃશુલ્ક "છાશ કેન્દ્ર"ને આજ રોજ તા. 28 /5 /2025 ને બુધવાર ના રોજ બે મહિના સંપન્ન થયા છે. બે મહિનામાં 27,800 લિટર છાશનું નિઃશુલ્ક વિતરણ કરીને 1,84,000 (એક લાખ ચોર્યાસી હજાર) લોકોની ભક્તિ કરવાનો લાભ મળેલ હોવાનું સંસ્થા ના પ્રમુખ વી.જી. મહેતા (ભુજ )અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ મણીલાલ શાહ (માંડવી)એ જણાવ્યું હતું.

NAVCHETAN BHUJ : છ કોટી જૈન સંઘ- માંડવીના મહાસતીજી એ નિઃશુલ્ક છાસકેન્દ્ર ની મુલાકાત લઈ સંસ્થાને અને લાભાર્થીઓને આશીર્વાદ પાઠવી, દાતાશ્રી મોરબીયા પરિવાર અને નવચેતન સંસ્થા ની અનુમોદના કરી હતી.

NAVCHETAN BHUJ : માંડવીમાં નવાપરામાં તા. 30/ 3 /2025 થી શરૂ કરાયેલ આ નિઃશુલ્ક છાસકેન્દ્ર ને બહોળો પ્રતિસાદ સાંપડેલ છે. હાલમાં પડી રહેલ કાળ-ઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આભ માંથી સતત અંગારા વરસી રહ્યા છે. અને છાશના ભાવ આસમાને છે. ત્યારે દરરોજ 550 (પાચસો પચાસ) જેટલા પરિવારો આ નિઃશુલ્ક છાસ કેન્દ્રનો લાભ લઇ રહ્યા છે.દરેક પરિવારને નાત- જાતના ભેદભાવ વગર પરિવાર દીઠ એક લીટર છાશ નિઃશુલ્ક આપવામાં આવે છે.

NAVCHETAN BHUJ : માંડવીના લોકો દ્વારા મળતાં ઉષ્મા ભર્યા સહકાર અને ઉદાર દિલ દાતા ની સખાવત થી આ નિઃશુલ્ક છાસકેન્દ્ર કચ્છી નવા વર્ષ- અષાઢી બીજ સુધી ચાલુ રાખવાની સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા (ભુજ) અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ મણીલાલ શાહે ઘોષણા કરી હતી.

NAVCHETAN BHUJ : આ અવસરે દાતા પરિવારના મોભી શશીકાંતભાઈ મોરબીયા, માતા કમલાવંતીબેન, ડૉ .રૂપાલીબેન મોરબીયા સાથે સંસ્થા ના પ્રમુખ વેલજીભાઈ જી. મહેતા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સંસ્થાના કાર્યકરો જયેશભાઈ ચંદુરા, સી.સી. જોશી, પ્રદીપભાઈ દોશી, શાંતિલાલભાઈ મોતા, હિરેનભાઈ દોશી, ઓજસ શેઠ, કૌશિકભાઇ મહેતા વગેરે એ ઉપસ્થિત રહીને છાશ નું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

NAVCHETAN BHUJ : અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ,મોહનભાઈ ગઢવી, વિપુલભાઈ સોલંકી અને જયંતીભાઈ સંઘવી વગેરે સહયોગી રહ્યા હતા.




Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST