THE INDIAN SOCIOLOGIST

World No Tobacco Day : દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૧-૫ ને શનિવારના રોજ "વિશ્વ તમાકુ નિષેદ દિન" ઉજવાશે.

World No Tobacco Day : દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૧-૫ ને શનિવારના રોજ "વિશ્વ તમાકુ નિષેદ દિન" ઉજવાશે.


માંડવીમાં ૩૧મી મે ને શનિવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવાશે

જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનનું સંયુક્ત આયોજન

માંડવીમાં છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને ૨૫ વર્ષથી કાર્યરત પરમ પૂજ્ય નરેશમુનિ "આનંદ" મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૧-૫ ને શનિવારના રોજ "વિશ્વ તમાકુ નિષેદ દિન" ઉજવાશે.

માંડવીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I) માં તા. ૩૧-૫ ને શનિવારના સવારના ૧૦-૦૦ વાગે, માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ડોક્ટરોની ટીમના ડો. સૌરભ પટેલ (એમ.ડી. મેડીસીન), દાંતના ડો. દિગ્નાબેન પટેલ અને મેડિકલ ઓફિસર જયેશભાઈ મકવાણા આઈ.ટી.આઈ. ના અભ્યાસ કરતા વિદ્યાર્થીના મુખ અને દાંત ની તપાસ કરશે.

આ પ્રસંગે "હમ સબકા હૈ યહી સપના - નશા મૂકત હો દેશ અપના" વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધાના પ્રથમ ત્રણ નંબરે વિજેતા થનાર વિદ્યાર્થીનું ભવ્યાતિભવ્ય અભિવાદન કરવામાં આવશે.

આઈ.ટી.આઈ ના આચાર્ય પ્રતિકભાઈ પરસાણીયા, ફોરમેન દેવાંગભાઈ વાંઝા, તેમનો સ્ટાફ અને બંને સંસ્થાના ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ અને મંત્રી અરવિંદભાઈ શાહ તથા પરમ પૂજ્ય વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોષી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST