THE INDIAN SOCIOLOGIST

માધાપર મધ્યે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

માધાપર મધ્યે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો.


ભારતીય જૈન સંગઠન (BJS) અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા આયોજિત એવમ સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજના સહયોગથી નિશુલ્ક નિદાન મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કાર્યાલય માધાપર મધ્યે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કરછ અને ભારતીય જૈન સંગઠન ( BJS ) કરછ ના અધ્યક્ષ હિતેશભાઇ ખંડોર, લોહાણા સમાજના અગ્રણી શ્રી દિલીપભાઈ ભીંડે, શ્રી માધાપર મૂર્તિપૂજક જૈન સંઘના મંત્રી શ્રી જગશીભાઇ મહેતા, શ્રી માધાપર મુર્તિપૂજક જૈન સંઘના ઉપપ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ શાહ, શ્રી ભારતીય જૈન સંગઠન ના માધાપર ના મહામંત્રી શ્રી વિનેશભાઈ શાહ, વિમલભાઈ મહેતા, દિલીપભાઈ કુબડીયા, સોની સમાજના અગ્રણી શ્રી વસંતભાઈ સોની, માધાપર જૂનાવાસના પૂર્વ ઉપસરપંચ શ્રી વિજયભાઈ રાજપુત, તથા સમર્પણ મહિલા મંડળ માધાપર ના પ્રમુખ શ્રી પ્રીતિબેન પ્રફુલભાઇ ભટ્ટ, મહામંત્રી શ્રી રુચિતાબેન જોશી તથા મંડળના કારોબારી સભ્યો શ્રી રસીલાબેન ઠક્કર, શ્રી વર્ષાબેન ત્રિપાઠી, શ્રી નિલમબેન ઠક્કર, શ્રી દીપાબેન ઠક્કર, શ્રી ભાવિકાબેન જેઠવા, શ્રી કાંતાબેન ઠક્કર બહેનો સમગ્ર કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા સાથે સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 6 ડોક્ટરો નિશુલ્ક સેવા આપી હતી ડો ઉમંગભાઈ સંઘવી (એમ.એસ ઓર્થોપેડિક હાડકાના ડોક્ટર ), ડો. રૂપાલી બેન મોરબીયા (એમડી પલ્મોનોલોજીસ્ટ ચેસ્ટ ફિઝિશિયન), ડો. સિદ્ધાર્થભાઈ શેઠીયા (જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન ), ડો રાહુલભાઈ ત્રિવેદી (એમ.બી.એસ ક્રિટિકલ કેર એન્ડ સ્પેશિયાલિસ્ટ ), ડો લહરભાઈ જાદવ ( એમ.બી.બી.એસ એમડી પીડીયાટ્રીક્સ બાળ રોગ નિષ્ણાંત), ડો મૃગેશભાઈ શાહ ( એમ.બી.એસ.આઇ.સી.ઓ આંખના સર્જન ) વગેરે ડોક્ટરો નિશુલ્ક સેવા આપી તથા કેમ્પમાં દવાઓ મફત આપવામાં આવી હતી.

હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે સંઘવી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ કચ્છ માટે ખૂબ જ સારી સારવાર અને સુવિધા લોકોને ઉપલબ્ધ થાય તેવી હોસ્પિટલની ભેટ લોકોને મળેલ છે હોસ્પિટલમાં આરોગ્ય માટે ખૂબ જ સારી હાઈ ટેકનોલોજી ની મશીનરી ઉપલબ્ધ છે જે કચ્છના પ્રજાજનો માટે ખૂબ જ ઉપયોગી થશે

ડો. ઉમંગભાઈ સંઘવી એ જણાવ્યું હતું કે હોસ્પિટલ નાના લોકો માટે સહાયરૂપ થઈ કરછ ની સેવા કરવી એજ સંકલ્પ છે આવતા દિવસોમાં કચ્છના વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવશે

કેમ્પ માં મોટી સંખ્યા માં દર્દીઓ એ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો. કેમ્પ ને સફળ બનાવવા પુનિત સોરઠિયા તથા ઈશ્વરગર ગૂસાઈ એ જહેમત ઉઠાવી હતી. તથા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મયુરભાઈ જોશી એ કર્યું હતું.

www.indiansociologist.in
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST