THE INDIAN SOCIOLOGIST

૨૮ મી જૂનને શનિવારના રોજ સુવર્ણ ચતુર્માસનો મંગલ પ્રવેશોત્સવ ઉજવાશે

 ૨૮ મી જૂનને શનિવારના રોજ જૈન સંતો અને મહાસતીજીઓનો ધામધૂમથી સુવર્ણ ચતુર્માસનો મંગલ પ્રવેશોત્સવ ઉજવાશે


કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પૂજ્ય ગુરુદેવશ્રી ધીરજલાલજી સ્વામીના સુશિષ્ય તથા વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ "આનંદ" અને તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય ઓજસમુનિ "મંગલ" મહારાજ સાહેબ ઠાણા-૨ તથા પરમ પૂજ્ય પ્રભાવતીબાઈ મહાસતીજીના સુશિષ્યા પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતીજી, પૂજ્ય પરીતાબાઇ મહાસતીજી, પરમ પૂજ્ય દર્શિતાબાઈ મહાસતીજી અને પરમ પૂજ્ય અક્ષીતાબાઈ મહાસતીજી આદિ ઠાણા ૪ નું ભોજાય (તા.માંડવી) ગામે ઉજવાતા પરમ પૂજ્ય નરેશમુનિના સુવર્ણ ચાતુર્માસ મંગલ પ્રવેશ તા. ૨૮-૦૬ ને શનિવારના સવારના ૮-૩૦ કલાકે થનાર હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોષી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

              આ પ્રસંગે મહેમાનો, ગામવાસીઓ, અને ગામની નિયાણીઓ, સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેનાર હોવાનું મુંબઈ પ્રમુખ સંઘપતિ પોપટલાલ મોરારજી ગાલા અને કચ્છ પ્રમુખ સંઘપતિ હરખચંદ વિશનજી નાગડાએ જણાવ્યું હતું.

www.indiansociologist.in


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST