માંડવી માં તપગચ્છ જૈન સંઘમાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો નો દબદબાભેર ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો.
તસવીર:-હેમંત જોશી.
માંડવી તપગચ્છ જૈન સંઘમાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ના સામૈયા ની તસવીર માં મ.સા., ટ્રસ્ટી મંડળ, JRD વગેરે નજરે પડે છે.
મહારાજ સાહેબના સામૈયામાં માંડવી જૈન સમાજ ના પાંચે ગચ્છના ભાવિકો ઉમટી પડ્યા.
માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં આજે તા. 27 /6 ને શુક્રવારના, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્ય રત્ન તીર્થરશ્મી વિજયજી મહારાજ સાહેબ, તીર્થબાહુ વિજયજી મહારાજ સાહેબ અને તીર્થમંગલ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા -3 તેમજ સાધ્વીજી ભગવંત જિન દીક્ષા શ્રીજી મહારાજ સાહેબ અને જિન પ્રતિક્ષા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા -2 નો ચાતુર્માસ મંગલ પ્રવેશ ધામધૂમ થી દબદબાભેર થયો હતો.
આજે શુક્રવારના સવારના 6:45 વાગે મહાવીર બેન્ડ પાર્ટી ના નાદ સાથે ન્યાય કોર્ટ પાસેથી નીકળેલા ભવ્યાતિ ભવ્ય સામૈયા માં માંડવી ના જૈન સમાજના પાંચે ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સામૈયા માં "ગુરુજી અમારો અંતર્નાદ ,અમને આપો આશીર્વાદ." " આજનો દિવસ કેવો છે? સોના કરતાં મોંઘો છે," "સોના કરતા મોંઘું શું ? સંયમ......સયમ... જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયું હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ સામૈયું ન્યાય કોર્ટ પાસેથી પ્રસ્થાન થઈ જૈન ધર્મશાળા રોડ, કે.ટી.શાહ રોડ થઈને આંબા બજાર ઉપાશ્રયે સવાર ના 07:25 કલાકે પહોંચ્યું હતું.ત્યાં મહારાજ સાહેબે પ્રવેશ કર્યા બાદ, ચતુર્વિધ સંઘ સાથે કંસારા બજાર, અપના બજાર થઈને મહાવીર સ્વામી જિનાલય પાસે નિર્માણ પામેલ નૂતન ઉપાશ્રય પહોંચ્યું હતું.
નૂતન ઉપાશ્રય માં પરમ પૂજ્ય તીર્થરશ્મિ વિજયજી મહારાજ સાહેબે, ભાવિકોને સંબોધતા માંડવી તપગચ્છ જૈન સંઘની ઉદારતા અને ઉત્સાહની સરાહના કરી હતી. અને તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે 14 મી જુલાઈ ને સોમવારથી પ્રારંભ થનાર 46 દિવસના રત્નમય તપમાં બહોળી સંખ્યામાં જોડાવા પાંચે ગચ્છના ભાવિકોને અનુરોધ કરેલ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ તપ, જ્ઞાન- દર્શન અને ચારિત્ર ની આરાધના સમાન છે. પ્રારંભ માં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહે સામૂહિક વંદના કરાવી હતી.
આ પ્રસંગે ગુરૂ પૂજન નો લાભ શ્રીમતી પ્રીતિબેન વિરેનભાઈ શેઠ (ગાંધીધામ) એ અને સાધુ ભગવંતોને કામળી વહોરવાનો લાભ શ્રીમતી પુષ્પાબેન મુક્તિલાલ ગઢેચા (ભીમાસર- અંજાર) એ લાભ લીધો હતો.
નૂતન ઉપાશ્રયના ઉદ્દઘાટન બાદ પ્રાણ- પ્રમિલા ઉપાશ્રય ની તક્તિનું અનાવરણ લાભાર્થી દાતા શાહ મુલચંદ ડુંગરશી હસ્તે:-વર્ધમાન માણેકલાલ શાહ (માંડવી હાલે વડોદરા) એ, જે.આર.ડી.આરાધના હોલ ની તકતી નું અનાવરણ શ્રીમતી શિલ્પાબેન જયેશભાઈ શાહ(JRD) એ, વ્યાખ્યાન હોલ ની તકતી નું અનાવરણ માતૃશ્રી લલીતાબેન તનસુખભાઈ દેવશી શાહ પરિવારે ,દોલત-દિવ્ય-ચેતના ગોચરી હોલ ની તક્તિ નું અનાવરણ માતૃશ્રી જડાવબેન કાનજીભાઈ ઠાકરશી શાહ પરિવારે ,ઉપકરણ રૂમની તકતી નું અનાવરણ માતૃશ્રી સરસ્વતીબેન રમણીકલાલ મહેતા(હસ્તે:- તરૂણ રમણીકલાલ મહેતા) એ, જ્યારે સ્વાધ્યાય હોલ ની તકતી નું અનાવરણ માતૃશ્રી મણીબેન હીરજી વલ્લમજી સંઘવી પરિવાર અને માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લમજી સંઘવી પરિવારે કરેલ હતું.
નૂતન ઉપાશ્રય ના ઉદ્દઘાટન અને તકતી ના અનાવરણના કાર્યક્રમ બાદ સવારના 9:00 કલાકે તપગચ્છ ની નવકારશી નો કાર્યક્રમ યોજાયો હતો.
જૈન પુરી માં નૂતન ઉપાશ્રય ના લાભાર્થીઓ અને નૂતન ઉપાશ્રયના દાતાશ્રીઓ અને લાખેણા દાતાશ્રીઓના બહુમાનનો કાર્યક્રમ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રા માં પાંચે ગચ્છ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેનુ સંચાલન તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી જયેશભાઈ ચંદુરા અને ડૉ .નિમિષભાઈ મહેતા એ કરેલ હતું.
શિતલનાથ ભગવાન ના જિનાલય અને ચૌમુખી પાર્શ્વનાથ ની ધજાના ચડાવા બોલવાનું સંચાલન જયેશભાઈ શાહે (JRD) માંડવી- વડોદરા એ કરેલ હતું શિતલનાથ ભગવાનની ધજા નો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી એ, પાર્શ્વનાથ ભગવાનની ધજા નો લાભ અને પ્રદક્ષિણા એમ બંને લાભ માતૃશ્રી મણીબેન હીરજી વલ્લમજી સંઘવી પરિવારે લીધો હતાં.
બપોરે 12:30 કલાકે માંડવી ની જૈન પુરી માં શાહ મુલચંદ ડુંગરશી પરિવાર, શ્રીમતી શિલ્પાબેન જયેશભાઈ શાહ (JRD) માંડવી- વડોદરા અને માતૃશ્રી લલીતાબેન તનસુખભાઈ દેવશી શાહ પરિવાર ના સૌજન્ય થી માંડવી જૈન સમાજના પાંચે ગચ્છના સ્વામિવાત્સલ્ય નો કાર્યક્રમ યોજાયો હતો.
માંડવીમાં 14 મી જુલાઈ થી શરૂ થનાર 46 દિવસના રત્નમય તપ માં જોડાવા સાધુ ભગવંતે અનુરોધ કરતા તપ ના પાસ મેળવવા ભાવિકો એ લાઈન લગાવી દીધી હતી. આ તપના 13મી જુલાઈ ના અતર વાયણા માટે માંડવી તપગચ્છ જૈન સંઘ ના મંત્રી વિરલકુમાર વાડીલાલ શાહ અને ટ્રસ્ટી અતુલભાઇ હરિલાલ શાહે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા સંઘે તેમને આદેશ આપેલ હતા. બ્યાસણા કરાવવાનો લાભ સેવા સ્થળ ઉપર જ 30 બ્યાસણા ના લાભાર્થી નોંધાયા હતા. કિશોરભાઈ સંઘાર એન્ડ પાર્ટી એ સંગીતની રમઝટ જમાવી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘ ના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનરે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
www.indiansociologist.in