આધોઈ ઓસવાળ નગર ના આંગણે શુક્રવાર થી સાત દિવસીય ધાર્મિક અનુષ્ઠાનનો શુભારંભ થયો.
૨૬ મી જુન ને ગુરૂવાર ના રોજ અનુષ્ઠાન નું સમાપન થશે.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અનંત યશ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંત શ્રી દિવ્ય ગીરાશ્રીજી આદિ ઠાણા ની પાવન નિશ્રામાં 20 મી જૂન ને શુક્રવાર થી આધોઈ (તા.ભચાઉ) ઓસવાળ નગર ના આંગણે સાત દિવસીય ધાર્મિક અનુષ્ઠાન નો શુભારંભ થયો છે.
પ્રથમ દિવસે દિપક એકાસણા, બીજે દિવસે પ્રવચન પ્રશ્નોત્તરી અને ત્રીજા દિવસે 22 મી જૂન ને રવિવાર ના અજીતનાથ જિનાલય માં 18 અભિષેક થયા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આવતીકાલ તા.23 /6 ને સોમવાર ના અજીતનાથ જિનાલય ની ધજા અને સ્વામિવાત્સલ્યનો કાર્યક્રમ યોજાશે. તા. 24/ 6 ના 36 પ્રદક્ષિણા પ્રવચન, તા. 25 /6 ના ચૈત્ય પરિપાટી અને અનુષ્ઠાન ના છેલ્લા અને સાતમા દિવસે તા. 26/06 ને ગુરૂવાર ના જાહેર પ્રવચન યોજાશે.
www.indiansociologist.in