THE INDIAN SOCIOLOGIST

Dr. RONIT SHAH : હાર્મની શૈક્ષણિક એવોર્ડ મેળવીને માંડવીનું ગૌરવ વધારતા ડો. રોનિતભાઈ શાહ

Dr. RONIT SHAH : હાર્મની શૈક્ષણિક એવોર્ડ મેળવીને માંડવીનું ગૌરવ વધારતા ડો. રોનિતભાઈ શાહ





સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, સેવાભાવી ડો.રોનિતભાઈ પુષ્પકાંતભાઈ શાહ (વર્ધમાનનગર - ભુજોડી)ને હાર્મની શૈક્ષણિક એવોર્ડ એનાયત કરતા નજરે પડે છે.

મૂળ મંજલ (તા. નખત્રાણા) ના અને વર્ષો સુધી માંડવીમાં રહેલા પરંતુ હાલમાં વર્ધમાનનગર (ભુજોડી) રહેતા શ્રીમતી રેખાબેન પુષ્પકાંતભાઈ શાહ અને પુષ્પકાંતભાઈ પોપટલાલ શાહના તેજસ્વી અને સેવાભાવી સુપુત્ર ડો. રોનિતભાઈ પુષ્પકાંતભાઈ શાહે અંજાર ખાતે હાર્મની આર્ટસ એન્ડ કલ્ચર સંસ્થા દ્વારા તાજેતરમાં હાર્મની શૈક્ષણિક એવોર્ડ મેળવીને જૈન સમાજનું ગૌરવ વધારેલ છે.

અંજાર ખાતે હાર્મની આર્ટસ એન્ડ કલ્ચર સંસ્થા દ્વારા, કવિ સંમેલન, સંગીતનો કાર્યક્રમ અને પુરસ્કાર સમારોહ તાજેતરમાં યોજાયો હતો.

આ સંમેલનમાં તેજસ્વી અને સેવાભાવી ડો. રોનિતભાઈ પુષ્પકાંતભાઈ શાહને, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે હાર્મની શૈક્ષણિક એવોર્ડ એનાયત કરવામાં આવેલ હોવાનું માંડવીના જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ડો. રોનિતભાઈ શાહને આ અગાઉ કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ, ગ્લોબલ એકિસડન્શ નેશનલ એવોર્ડ તેમજ ગુજરાતના રાજ્યપાલશ્રીના હસ્તે મત જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા પણ એવોર્ડ મળેલ છે. ડો. રોનિતભાઈ શાહ સામાજિક કામોમાં ખૂબ જ સામાજિક સેવા કરી રહ્યા છે સાયબર ફ્રોડ માટે જાગૃતતા માટે પણ કામ કરે છે. હાલમાં તેઓ બીજી વખત પી.એચ.ડી. સાયબર ફ્રોડ ઓફ કચ્છ પર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર દ્વારા કરી રહ્યા છે.


THE INDIAN SOCIOLOGIST
Previous Post Next Post