MANDVI-KUTCH : માત્ર બે મહિનામાં 55 બહેનોને "સિલાઈ મશીન" અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા.
કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ -ગોધરા અને માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી નું પ્રેરણાદાયી કાર્ય.
MANDVI-KUTCH : શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ - ગોધરા અને માંડવીની અંધ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે અમેરિકા નિવાસી વતન પ્રેમી દાતાના સહયોગ થી તારીખ 29 /1/ 2025 ને બુધવારના રોજ માંડવી, ભુજ અને મુન્દ્રા એમ ત્રણ તાલુકાના જરૂરતમંદ 11 બહેનોને માંડવીના સેવા મંડળ માં યોજાયેલા કાર્યક્રમમાં સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા છે.
કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ - ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી ના પ્રમુખ પદે માંડવી ના સેવા મંડળ ના મંછારામ બાપુ ના વાડામાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી સેવાભાવી ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા,સેવા મંડળ ના પ્રમુખ અશોકભાઈ શાહ અને દાતા સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ 11 સિલાઈ મશીન કચ્છના વતન પ્રેમી દાતા "શ્રી હરી", 'સબકા મંગલ હો' સંત શિરોમણી ઓધવરામજી મહારાજના આશીર્વાદ થી અમેરિકા ના સંપૂર્ણ આર્થિક સહયોગ થી મળેલ છે.
આ પ્રસંગે નિર્મળાબેન અરવિંદભાઈ જોશી, નિલેશભાઈ અરવિંદભાઈ જોશી, ડૉ. ભાવિકાબેન ગોર (કેનેડા), ગોધરા હાઈસ્કૂલના નિવૃત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, જાણીતા લેખક વિશ્રામભાઇ ગઢવી, સુરેશભાઈ ભાનુશાલી ( ગોધરા, ડોમ્બીવલી-મુંબઈ), જમનાદાસ ભાનુશાલી (ગોધરા , વિક્રોલી-મુંબઈ), સલીમભાઈ ચાકી, હસમુખભાઈ ઠક્કર, કૈલાશભાઈ ઓઝા,મહેન્દ્રભાઈ ચોથાણી, નિલેશભાઈ ઝાલા,શાંતિલાલ મોતીવારસ, શૈલેષભાઈ મિઠાવાલા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
MANDVI-KUTCH : અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી, અમેરિકાના દાતા નો આભાર માની વધુમાં જણાવ્યું હતું કે માંડવી માં માત્ર બે જ મહિનામાં 55 ( પંચાવન ) બહેનો ને દાતાના સહયોગથી સિલાઈ મશીન આપીને આત્મનિર્ભર બનાવાયા છે.
આ પ્રસંગે માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી અને જૈન અગ્રણી જયેશભાઈ જી. શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
MANDVI-KUTCH : પ્રમુખ સ્થાનેથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી એ જણાવ્યું હતું કે મસ્કત, અમેરિકા અને મુંબઈ નિવાસી કચ્છના વતન પ્રેમી દાતાશ્રીઓ ના આર્થિક સહયોગથી, હું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા ના માધ્યમ થી સેવાના કાર્યો છેલ્લા 26 વર્ષથી કરી રહ્યો છું. દાતાશ્રીઓ ના સહયોગ ના કારણે હું કચ્છમાં કરોડ રૂપિયાથી વધારે માતબર રકમના કાર્યો કરી શક્યો છું.
માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા,જાણીતા લેખક લાયજા ના વિશ્રામભાઇ ગઢવી,કથાકાર નિરંજનભાઇ વ્યાસે સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.
MANDVI-KUTCH : મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડૉ.ચંદ્રકાંતભાઈ ચોથાણી એ બંને સંસ્થાને અભિનંદન પાઠવી માત્ર બે (2) જ મહિનામાં જરૂરતમંદ 55 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવ્યા તે બદલ દાતા નો ઋણ સ્વીકાર કરી, અરવિંદભાઈ જોશી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહ ને અભિનંદન પાઠવ્યા હતા.
માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાએ પણ ગોધરા અને માંડવી એમ બંને સંસ્થાને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, માંડવી ના લોકો માટે અરવિંદભાઈ જોશી દ્વારા "સબપેટી" ની ભેટ લોહાણા બોર્ડિંગ ને અપાયેલ છે.તે બદલ દાતાશ્રી નો આભાર માની આગામી 19 મી ફેબ્રુઆરી 2025 ના રોજ "સબપેટી" નું લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી.
MANDVI-KUTCH : સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ગોધરા હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ હતું. સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, દીપકભાઈ સોની તેમજ શૈલેષભાઈ મિઠાવાલા સહયોગી રહ્યા હતા. પ્રિયંકાબેન ઠક્કર ( ભુજ) અને ચાંદનીબેન ગોસ્વામી (માંડવી) એ 11 બહેનોને સિલાઈ મશીન આપીને આજે આત્મનિર્ભર બનાવ્યા તે બદલ, માંડવી અને ગોધરાની સંસ્થાની સરાહના કરી હતી.
આ પણ વાંચો : GIANTS : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
INDIAN SOCIOLOGIST